ભારત અને સાઉથ આફ્રિકાની શ્રેણી પ્રેક્ષકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો
કોરોના મહામારીની વચ્ચે યોજાઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકાની શ્રેણી પ્રેક્ષકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અને સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે વાટાઘાટો બાદ આ નિર્ણય લીધો હતો. નોંધપાત્ર છે કે સાઉથ આફ્રિકાની સરકારે તો સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં કોરોના વિરોધી રસી લીધી હોય તેવા બે હજાર પ્રેક્ષકોને હાજર રહેવાની છુટ આપી છે. આમ છતાં ખેલાડીઓ અને અન્યોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે આજે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટસ પાર્ક મેદાનમાં પ્રેક્ટિસ કરી હતી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પણ આ જ મેદાન પર રમાવાની છે. ત્રણ ટેસ્ટની શ્રેણીનો તારીખ ૨૬મી ડિસેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.