સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા
ભારતીય ટીમ આગામી 16 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થવાની છે. ત્યારે તે પહેલા મુંબઈમાં ચાલી રહેલા ટ્રેનિંગ કેમ્પમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને વન ડે ટીમના કેપ્ટન રોહિત શર્માને ઈજા થઈ છે. ટ્રેનિંગ સેશન દરમિયાન થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રાઘવેન્દ્રનો બોલ સીધો રોહિતના હાથ પર લાગ્યો હતો. આમ રોહિત શર્માને થયેલી ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ અપડેટ આવ્યા નથી. આમ આ પ્રકારની ઈજા અંજિક્ય રહાણેને વર્ષ 2016માં થઈ હતી. જેમાં તેમની આંગળી પર ફ્રેક્ચર થયુ હતુ. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ આગામી 26 ડિસેમ્બરથી શરૂ થવાની છે. રોહિતની ઈજા જો વધારે ગંભીર નહીં હોય તો તે મેચ પહેલા ફિટ જશે નહીં તો તે પ્રથમ ટેસ્ટ રમી નહીં શકે. ત્યારે તેમની જગ્યાએ મયંક અગ્રવાલ અને રાહુલ ભારતીય ટીમ માટે ઓપનિંગ કરશે.