નવી ટીમોએ રાહુલનો સંપર્ક કર્યો હોય તો મ્ભભૈંના નિયમનો ભંગ થયો કહેવાય
પંજાબ કિંગ્સે વર્ષ ૨૦૨૦ની સિઝન પહેલા જ અશ્વિનના સ્થાને રાહુલને કેપ્ટન બનાવ્યો હતો. પંજાબની ટીમના માલિક નેસ વાડિયાએ કહ્યું કે, અમે તો રાહુલને રિટેન કરવા ઈચ્છતા હતા. જોકે તેણે જ સામે ચાલીને રિટેન ન થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો અન્ય ફ્રેન્ચાઈઝીઓએ અગાઉથી તેનો સંપર્ક સાધ્યો હોય તો તે અનૈતિક કહેવાય.
નોંધપાત્ર છે કે, વર્ષ ૨૦૧૦માં રાજસ્થાન રોયલ્સે રવિન્દ્ર જાડેજાને રિલીઝ કર્યો નહતો અને તેણે અન્ય ફ્રેન્ચાઈઝી સાથે વાટાઘાટો શરૃ કરી દીધી હતી. જે પછી તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો.