બનાસકાંઠામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ
રખેવાળ ન્યુઝ ૫ાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે સાંજે વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતીવાડાના ભાંડોત્રા ગામે ૨૮ વર્ષિય સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ છે. જેમને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૯૦ થવા પામી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૪ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. પાલનપુર અને ડીસા કોવિડ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી રહી છે. બીજી તરફ નવેસરથી પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં જિલ્લામાં મંગળવારે સાંજે વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મંગળવારે સાંજે વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતીવાડાના ભાંડોત્રા ગામે ૨૮ વર્ષિય સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ છે. જેમને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૯૦ થવા પામી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૪ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.