ગાંધીનગરમાં છૂટછાટ મળતા જ ટ્રાફિક જામના દ્રશ્યો
રખેવાળ, ગાંધીનગર
આજથી સમગ્ર દેશમાં લોકડાઉન 4 ની શરૂઆત થઈ છે. જેમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં છૂટછાટ મળતાની સાથે જ ઠેર ઠેર સિગ્નલો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઇકાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે કોરોના મટ્યો નથી પણ હવે આપણે જ સાવચેત રહેવું પડશે ત્યારે ઉપરોક્ત દ્રશ્ય લોકડાઉનના ધજિયા ઉડાવી રહ્યું છે.