વીજ પુરવઠો વારંવાર ટ્રીપ મારતો હોઈ ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના ભુતેડી ગામમાં આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીના ૬૬ કેવી સબ સ્ટેશનમાંથી આજુબાજુ ના ગામોમાં ખેતી માટે આપવામાં આવતા વીજ પુરવઠામાં વારંવાર ટ્રીપ મારવામાં આવતી હોઈ અપૂરતી અને અનિયમિત વીજળી મળવાના ધાંધીયા ને લઈ ખેડૂતોમાં વીજ તંત્ર સામે રોષની લાગણી છવાયેલી છે.જેમાં વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ખેડૂતો પાલનપુરની જેટકો કચેરી દોડી આવી ને રજુઆત કરી હતી.
સિંચાઇ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે માટે ખેતીના વીજ જોડાણમાં આઠ કલાક વીજળી આપવામાં આવે છે. પરંતુ પાલનપુર તાલુકાના ભુતેડી ગામે આવેલ યુ.જી. વી.સી.એલ.ના ૬૬ કેવી સબ સ્ટેશન દ્રારા ૪ ફીડર મારફતે આજુબાજુ માં રણાવાસ, ભટામલ, દેલવાડા, વાધણા, ઓખાપુરા,જેસંગપુરા,આંત્રોલી,આકેડી,બાદરપુરા,સાંગલા સહિતના ગામોને વીજ પુરવઠાની સપ્લાય કરવામાં આવે છે. પરંતું છેલ્લા કેટલાય સમયથી ૮ કલાક આપવામાં આવતા વીજ પુરવઠામાં વારંવાર ટ્રીપ મારવાને લઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી ન મળવાને લઈ તેમને મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેમાં શુક્રવાર ની રાત્રે અવાર અવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા રોષે ભરાયેલ ખેડૂતો રજુઆત કરવા રાત્રે ૬૬ કેવી સબ સ્ટેશન દોડી ગયા હતા અને શનિવારે ખેડૂતો આગેવાનો દ્રારા પાલનપુર ની જેટકો કચેરી ખાતે પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.