અમદાવાદમાં ૧૦ દિવસ બાદ શાકભાજી- કરીયાણા બજાર શરૂ
રખેવાળ, અમદાવાદ
કોરોના સંક્રમણના વધતા જતા અતિક્રમણને લઈ અમદાવાદ સજ્જડ બંધ કરી દેવાયું હતું તેથી છેલ્લા દસ દિવસથી શાકભાજી અને કારીયાણા બજાર પણ બંધ કરી દેવાયું હતું આખરે અગિયારમા દિવસે શાકભાજી અને કરીયાણા બજાર શરૂ કરાયું હતું જેમાં પણ સ્ક્રીનિગ કરેલ વેપારીઓને જ દુકાનો શરૂ કરવા દેવામાં આવી હતી જ્યારે સવારે ૮ થી ૧૧ ક. સુધી માત્ર મહિલા અને બાળકોને જ ખરીદી કરવાની છૂટ અપાઈ હતી તેમાં પણ માસ્ક પહેરવા સાથે સોસિયલ ડિસ્ટનસનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. બપોર બાદ પુરૂષોને ખરીદી કરવાની ત્રણ વાગ્યા સુધી છૂટ અપાઈ હતી.