![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/0fc80810-6dc1-4c87-bbc6-b2626026cbb3.jpg)
લાખણીના ભાકડીયાલમાં ઝેરી ઘાસચારો ખાવાથી ૨૧ ઘેટાંઓના મોત
રખેવાળ ન્યુઝ લાખણી,ગેળા : લાખણી તાલુકાના ભાકડીયાલ ગામમાં ૨૧ ઘેટાંઓ અચાનક મોતને ભેંટતા ચકચાર મચી જવા પામી હતી.મળતી માહિતી મુજબ રાજસ્થાનના ભમરિયા ગામના રહેવાસી હરશનભાઈ દેસાઈ વતનમાં ઘાસચારાની તંગી ઊભી થતાં છેલ્લા કેટલાક સમયથી લાખણીના ભાકડીયાલ ગામે જીવનનિર્વાહ કરતા હતા.ત્યારે ભાકડીયાલ ગામના ખેતરોમાં ઘેટાં ચરાવી આવ્યા બાદ અચાનક ૨૧ જેટલા ઘેટાંઓના મોત નિપજતાં માલધારી ઉપર અણધારી આફત આવી પડી છે. આ બાબતે ઘેટાંઓ માલિકને પૂછતા ઝેરી ઘાસચારો ખાવાથી મોત નિપજ્યા હોવાનું જણાવ્યું હતું.