ગુજરાતમાં કોરોના આંક ૧૦ હજાર પાસે પહોંચ્યો, મૃત્યુઆંક ૫૬૬, ડિસ્ચાર્જ રેટ ૩૮.૪૩ ટકા થયો

ગુજરાત
CORONA
ગુજરાત

ગાંધીનગર :  ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો ૧૦ હજાર નજીક પહોંચી ગયો છે. આખા રાજ્યમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા થયેલાં ૨૪ કલાકમાં ૩૬૫ નવા કેસ નોંધાતા હવે કોરોનાના કુલ ૯,૨૬૭ પોઝિટિવ કેસ, મૃત્યુઆંક ૫૬૬ અને ૩,૫૬૨ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી બચીને રહેલો અમરેલી જિલ્લો ગુજરાતમાં નોંધાયેલા પહેલા કેસ પછી છેક ૮મા સપ્તાહે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બુધવારે ગુજરાત સરકારે જાહેર કરેલાં આંકડા પ્રમાણે વધુ ૨૯ લોકોના મોત થયાં છે. આ ૨૯ દર્દો પૈકી સાત દર્દીઓ માત્ર કોવિડના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે. બાકીના ૨૨ લોકોને સામાન્યથી માંડીને ગંભીર પ્રકારની બિમારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.