અમદાવાદથી ગોરખપુર જવા શ્રમિકો પગપાળા નીકળ્યા : શ્રમિકોને વતન મોકલવાના તંત્રના દાવા પોકળ
રખેવાળ ન્યુઝ છાપી
કોરોના મહામારીમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યા બાદ પ્રવાસી શ્રમિકો ચાલીસ દિવસથી પરેશાન થઈ વતનની વાટ પકડી છે તેવામાં પ્રવાસી શ્રમિકોને તંત્ર દ્વારા વતન મોકલવાના મોટા મોટા દાવાઓ વચ્ચે અમદાવાદથી પગપાળા નીકળી કેટલાક શ્રમિકો ઉત્તર પ્રદેશના ગોરખપુર જવા નીકળ્યાના દ્રશ્યો સામે આવતા સરકારની શ્રમિકો પ્રત્યેની સંવેદનાઓ માત્ર જાહેરાત પૂરતી હોવાનું ફલિત થયુ હતું.
દેશમાં કોરોના મહામારી વચ્ચે ચાલીસ દિવસથી લોકડાઉનમાં ધંધા રોજગાર વિના બેહાલ બનેલા અને સરકારની સહાયથી વંચિત રહેલા ગુજરાતમાં વસતા લાખો પ્રવાસી શ્રમિકો બેહાલ બન્યા છે ત્યારે શ્રમિકોનો એકજ અવાજ સામે આવ્યો છે કે હવે ‘વતન પહોંચવું છે મોતની ચિંતા નથી’. અમદાવાદ તેમજ આસપાસમાં રહેતા વીસ જેટલા