ડીસાની કોવિડ હોસ્પિટલમાં ૭૫ વર્ષીય વૃદ્ધનું મોત

બનાસકાંઠા
CORONA
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાની કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારે મધરાતે થરાદના નારોલી ગામના ૭૫ વર્ષીય વૃદ્ધનું મોત નિપજયું હતું. જો કે વૃધ્ધ નું મોત કોરોના ને લીધે નહી પરંતુ શ્વાસની બિમારીના લીધે નિપજ્યું હોવાનું તબીબો માની રહ્યાં છે.
થરાદ તાલુકાના નારોલી ગામના વતની અને અમદાવાદના ચાંદખેડા રહેતાં હરગોવનદાસ હસમુખલાલ ત્રિવેદી (ઉ.વ. ૭૫) ને તબિયત લથડતા ગુરૂવારે ડીસાની ભણશાળી (કોવિડ હોસ્પિટલ) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
ત્યારબાદ સવારે તેઓનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જો કે, ગુરૂવારે રાત્રિ ના એકાદ વાગ્યાના સુમારે અચાનક જ તેઓની તબિયત લથડી જતાં મોત નિપજયું હતું. આ અંગે ડીસા બ્લોક હેલ્થ અધિકારી ડા. જે.એચ. હરીયાણી એ જણાવ્યું હતું કે, થરાદ ના નારોલી ગામના ૭૫ વર્ષીય હરગોવનદાસ ત્રિવેદી નું સેમ્પલ લેવામાં આવ્યું હતું પરંતુ શ્વાસની બિમારીના લીધે તેમનું મોત નિપજયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.