બનાસકાંઠામાં કાતિલ કોરોના બન્યો બેકાબુઃ વધુ ૧૦ પોઝિટિવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કાતિલ કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે. જ્યાં હવે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાંથી ચેપ લઈને આવેલા લોકો સંક્રમણ વધારી રહ્યા છે. પરિણામે શુક્રવારે વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જ્યાં પાલનપુર તાલુકામાં ૨, ધાનેરા તાલુકામાં ૨, દાંતા તાલુકામાં ૩, વડગામ માં ૨ અને થરાદમાં ૧ મળી કુલ ૧૦ નવા પોઝિટિવ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો છે. જિલ્લામાં કુલ આંક ૭૯ થયો છે. વિશ્વભરમાં કહેર મચાવનાર કોરોનાનું સંક્રમણ બનાસકાંઠા જિલ્લામાં પણ દિન પ્રતિદિન ચિંતાજનક હદે વધી રહ્યું છે. જ્યાં હવે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થઈ રહ્યો છે. શરૂઆતમાં પાલનપુર અને વાવ વિસ્તારમાં પોઝિટિવ કેસ આવ્યા બાદ હવે જિલ્લાના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ પગપેસારો કરનાર કોરોનાના કેસો વધી રહ્યા છે. જ્યાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાંથી ચેપ લઈને આવેલા લોકો સંક્રમણ વધારી રહ્યા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પાલનપુર તાલુકાના સામઢી ગામે ૧, ભાગળમાં ૧, દાંતામાં ૨, મોટાસડામાં ૧, વડગામના મજાદરમાં ૧, સિસરાણામાં ૧, ધાનેરામાં ૨ અને થરાદમાં ૧ મળી કુલ ૧૦ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોના વાયરસનું લોકલ સંક્રમણ વધતાં હવે બહારથી આવતાં લોકો સામે કડક કાર્યવાહી કરી તમામનું સ્ક્રેનિગ તેમજ હોમ કોરેન્ટાઇન કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. આ કાર્યવાહી કરવા માટે અધિકારીની ટીમ બનાવવામાં આવશે.
દરમિયાન પોઝિટિવ લોકોના ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ત્વરિત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધી હોમ કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૪ પોઝિટિવ કેસ સાથે સંખ્યા ૭૯ થવા પામી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૨ મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.