![CORONA](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/Feb27_2020_CDC_Coronavirus.jpg)
રાજયમાં કોરોનાના ૨૪ કલાકમાં ૩૯૦ નવા કેસો થયા
નવી દિલ્હી : ગુજરાતભરમાં આજે કોરોનાના ૩૯૦ નવા કેસો નોંધાયા હતા. સરકારે અનેક પગલા લીધા હોવા છતાં કેસો અવિરતપણે વધી રહ્યા છે. સરકાર ભારે ચિંતિત બનેલી છે. અમદાવાદ શહેરમાં પણ સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ૧૬૩ દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે ફર્યા છે ગુજરાતમાં મોતનો આંકડો વધીને ૪૪૯ પર પહોંચી ચુક્યો છે. માહિતી આપતા આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ માહિતી આપી હતી.