બનાસકાંઠા ચેકપોસ્ટથી ગેર કાયદેસર મોલાસીસ ભરેલા ટેન્કરો પસાર કરવાનું કૌભાંડ ઝડપાયું

બનાસકાંઠા
rakhewal
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેક પોસ્ટએથી પસાર થયેલા ગેર કાયદેસર મોલાસીસ ભરેલા નવ ટેન્કરો પાલનપુર નસાબંધી વિભાગની ટીમે ઝડપી લઈ આ ટેન્કર પસાર કરાવનાર કંડલાની કંપની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સરહદી બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેક પોસ્ટથી પસાર થયેલા ગેર કાયદેસર મોલાસીસ ભરેલા નવ ટેન્કરો પાલનપુર નશાબંધી વિભાગની ટીમે ઝડપી લીધા હતા. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, પર પ્રાંતમાંથી આવતાં મોલાસીસ ભરેલા ટેન્કર અમીરગઢ ચેક પોસ્ટ ખાતેથી પસાર કરી કંડલા પોર્ટ ખાતે લઈ જવાય છે. અને ત્યાંથી વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આ ટેન્કરો અમીરગઢ ખાતે આવે ત્યારે બનાસકાંઠા નસાબંધી અને આબકારી વિભાગના કોન્સ્ટેબલના એસ્કોર્ટ હેઠળ કંડલા પોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે.
જે અંતર્ગત તારીખ ૬ માર્ચ ૨૦૨૦ના રોજ આવેલા ૧૦ મોલાસીસ ભરેલા ટેન્કરો અમીરગઢ ચેક પોસ્ટથી પસાર થઈ કંડલા એટપોર્ટ ગયા હતા. આ ટેન્કરોની તપાસ કરવાનો હુકમ થતાં બનાસકાંઠા નસાબંધી અને આબકારી ઇન્સ્પેક્ટર એન. એ. દેવાણીએ સ્ટાફના પારૂલબેન પટેલ, કે. ડી. પવાર, આર. કે. પઠાણ, કે. એમ. ચાવડા, આર.જી.ગઢવી, એચ. વી. પરમાર, ડી. એમ. પ્રજાપતિ સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં દસ ટેન્કરો પૈકી નવ ટેન્કરો પાસ પરમીટ વિના જ પસાર થઈ ગયા હોવાનું ખુલ્યું હતું. આથી ઇન્સ્પેક્ટરે નવ ટેન્કરો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.