ભણતરનુ ઉચ્ચ પોસ્ટનું ઘમંડ નુકસાનકારક બની શકે છે
આપણે બધા જાણીએ છીએ કે માનવમન બહું ચંચળ છે, એટલું જ નહી લાલચુ પણ છે અને એટલે જ કદાચ માનવમન દુખી થાય છે. એની ભાવનાઓને ઠેસ પહોંચે છે, લાગણીઓ દુભાય છે. એમાંનુ એક કારણ લાલચ જે કોઈપણ વસ્તુ માટેની હોય તે રોજ વધતી જાય છે વધતી જતી લાલચને લીધે જ ઘણા લોકો પોતાના પગ પર કુહાડો મારે છે ઘણીવાર આ બધુ અસમજણમાં થાય છે તો કયારેક જે તે બાબતનું અભિમાન અને અપેક્ષા માણસનું ભાન ભુલાવે છે. પોતાની જાતને સર્વોત્તમ સમજે છે, જીવનમાં કાંઈપણ જતુ કરવા કે કોપ્રોમાઈઝ કરવા તૈયાર નથી થતા એટલે પસ્તાવાનો વારો આવે છે. પોતાની જાતને દોષ દે છે અને ઘરના સભ્યોને પણ કોસે છે, દોષ દે છે કહે છે તમારે મને વધુ સારી રીતે સમજાવવી જાેઈતી હતી. તમે બધાએ ભેગા થઈને મારૂ જીવન ખરાબ કર્યું છે
આવો જ એક કેસ જાેઈએ, અગાઉથી નકકી કરેલી એપોઈમેન્ટ મુજબ એક યુવતી કન્સ્લટેશન માટે આવી પોતાનો પરિચય આપતા કહ્યું હું વેદીકા મારી એક ફ્રેન્ડના ફાધરે તમારો નંબર આપી કહ્યું કે તું એકવાર મલવા જા, તને તારા પ્રોબલેમોમાંથી બાહર આવવાનો રસ્તો ચોકકસ મલશે, એટલે જ હું આજે તમારી પાસે આવી છું હું હિપ્નોટીઝમ કે હિપ્નોથેરાપીમાં નથી માનતી તેમ છતાં હું કોઈ ચાન્સ સ્કીપ કરવા નથી માંગતી હું ડબલ ગ્રેજયુએટ છું મલ્ટી નેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર છું મારો મેઈન પ્રોબલેમ એ છે કે હું નાની નાની વાતે ખૂબ ગુસ્સે થઈ જાઉ છું.નાના મોટા બધાને ગમે તે બોલુ છું સંભળાવું છું મારો સેલ્ફ કોન્ફીડન્સ ઘટી ગયો છે. દરેક કામ માત્ર કરવા માટે કરૂ છું મારૂ મન કયાંય નથી લાગતું મને ખબર નથી પડતી આવું હું શું કામ કરૂ છું
વેદિકાના પ્રોબલેમ સાંભળી ડો.જલપા જે સ્કીનહેરના સ્પેશીયાલીસ્ટ છે અને એક સફળ કલીનીકલ હિપ્નોથેરાપીસ્ટ છે તેમણે વેદીકાને પુછયું કે તમારા પ્રોબલેમોનું તમારા હીસાબે શું કારણ છે ? વેદીકાએ કહ્યું એવું કાંઈ ખાસ મારા ધ્યાનમાં નથી, છેલ્લા ત્રણ વર્ષથી હું આ પ્રોબલેમો ફેશ કરૂં છું જે છેલ્લા એક વર્ષમાં ખૂબ વધી ગયા છે. મારો સ્વભાવ જ સાવ બદલાઈ ગયો છે ડો.જલપાએ વેદીકાને થોડા સવાલ પુછયા, વેદીકાના જવાબો સાંભળી ડો. જલપાએ કહ્યું તમે ડેફીનેટલી પહેલા જેવા નોર્મલ થઈ શકો છો. કન્ડીશન માત્ર એટલી કે ડેઈલી અડધો કલાક માટે તમારે અહી આવવું પડશે, ટ્રીટમેન્ટ લેવા, એટલે વેદીકાએ કહ્યું આરયુ સ્યોર ડોકટર, તમને લાગે છે કે, મારા આ પ્રોબલેમો દુર થઈ જશે ? ડો.જલપાએ કહ્યું અફકોર્સ તમે ઘણું બેટર ફીલ કરશો જાે તમારે ટ્રીટમેન્ટ લેવી હોય તો નેકસ્ટ સ્ટેપ શું હશે તે તમને જણાવું. વેદીકા તરત બોલી યસ ડોકટર જલપા પ્લીઝ ટેલમી ડો. જલપાએ હિપ્નોથેરાપી વિષે ઈન્ફરમેશન આપી રેગ્યુલર ટ્રીટમેન્ટના બેનીફીટ જણાવ્યા જે સાંભળીને વેદીકાને નવાઈ લાગી અને કહ્યું આજ પહેલા મેં કયારેય વિચાર્યું પણ નહોતું કે મારા જેવા પ્રોબલેમો પણ દુર કરી શકાય અને તે પણ મેડીસીન લીધા વગર, અમેઝીંગ, ત્યારબાદ ટ્રીટમેન્ટનો ટાઈમ નકકી કરી ફોર્માલીટી પુરી કરી નેેકસ્ટ ડે થી જ વેદીકાએ ટ્રીટમેન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું.
નકકી કરેલા સમયે વેદીકાની ટ્રીટમેન્ટ (જેને અમે સીટીંગ કહીએ છીએ ) માટે આવી ગયા. ડો. જલપાએ વેદીકાને કહ્યું, તમારે કંઈ પુછવું છ ે ? જાે તમારા માઈન્ડમાં કોઈપણ કવેસ્ચન હોય તો વીધાઉટ એની હેઝીટેશન પુછી શકો છો વેદીકાએ કહ્યું નો કવેચન્સ ડો. જલપાએ સીટીંગ બાબત ફરી જણાવી વેદીકાની ટ્રીટમેન્ટ શરૂ કરી. આ દરેક સીટીગ અંદાજે ૧પ થી રપ મિનિટની આજુબાજુ થતી હોય છે. ડો. જલપાએ વેદીકાને માઈન્ડ અને બોડીનું રીલેકશન કરાવી, થોડા પોઝીટીવ સજેશનો આપ્યા. ત્યારબાદ અન્ય સજેશનો આપી પ્રથમ દિવસની સીટીગ પુરી કરી. આ સીટીગ પુરી થતા જ વેદીકાએ કહ્યું ચાલ રીયલી ફીલીગ. ગુડ ફસ્ટડે થી જ વેદીકા આ ટ્રીટમેન્ટ માટે વધુ કોન્ફીડન્ટ થઈ ગઈ. ત્રણ ચાર સીટીગ પછી ડો. જલપાએ વેદીકા સાથે તેના પ્રોબલેમોના મેઈન રીઝન્સ શું છે તે જણાવતા જ વેદીકાએ કહ્યું યસ ડોકટર યુ આર રાઈટ આઈ એપ્રીસીયેટ ઈટ ડો. જલપાએ કહ્યું તમારી થોટ પેર્ટન સુધારવી પડશે. હકીકતો સ્વીકારવી પડશે તો જ તમે સારૂ જીવન જીવી શકશો તમારા મેરેજ નથી થયા અને તમારી નાની ત્રણેય બહેનોના મેરેજ થઈ ગયા છે, તો તમારા કરતા ઓછું ભણેલી છે વેદીકા સમજી ગઈ એટલે તરત તેણે ડો. જલપાને કહ્યું પ્લીઝ ગાઈડમી. હું શું કરૂ ? ડો. જલપાએ લાઈફની રીયાલીટી શું છે તે સમજાવી બીજી થોડી સીટીગો આપી વેદીકાના માઈન્ડને રીપ્રોગ્રામ કરતા તેનામાં ચેન્જીસ આવવા લાગ્યા જે વેદીકાના ઘરના મેમ્બરો નોટીસ કરવા લાગ્યા વેદીકાનો ગુસ્સો જાણે ખોવાઈ ગયો, ફેમેલી મેમ્બરોની વાતો સાંભળી તેનો અમલ કરવા લાગી. માત્ર બાર દિવસ ચાલેલી આ કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી વેદીકા સાવજ બદલાઈ ગઈ. વેદીકા દરેક કામ પહેલા કરતા વધુ ઈન્ટરસ્ટ અને કોન્ફીડન્સ સાથે કરવા લાગી. જે જાેઈ તેના પેરન્ટસ કલીનીક એટલે કે પરફેકટ હેલ્થકેર સેન્ટર પર આવી ડો. જલપાનો આભાર માનતા કહ્યું કે તમે અને કલીનીક હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગે જાણે મીરેકલ કરી દીધું અમને અમારી દિકરી પાછી મલી ગઈ.
કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ ડ્રગલેસ અને સાયન્ટીફીક થેરાપી છે જે બાળકોથી વયોવૃધ્ધ દરેક માટે સેફ અને બેની ફેસીયલ છે. વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરી શકો છો.સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા તથા સેલ્ફ ઈપ્રુવીંગ ઓડીયો સીડી મેળવવા તેમજ હીપ્નોટીઝમ તથા ઓલ્ટરનેટીવ થેરાપીની માહિતી આપતા પ્રવચનો આપની સોસાયટી, મંડળ કે સામાજીક સંસ્થામાં યોજવા સંપર્ક કરો.