![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/fa175607-63b9-4951-9b5c-983b6e99904a-1.jpg)
લોકડાઉન દરમિયાન અપાયેલી વધુ પડતી છૂટ જોખમકારક
રખેવાળ ન્યુઝ ડીસા
કોરોનાના ચેપને રોકવા માટે સરકાર દ્વારા શક્ય તેટલા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જોકે રાજ્ય સરકારે લોકડાઉનના અંતિમ તબક્કામાં હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવી પરિસ્થિતિ સર્જી દીધી છે. રવિવારે દુકાનો ખોલવાની અધકચરી છૂટ આપીને તમામ મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું તેવી લાગણી સતત લોકડાઉનનું પાલન કરતા જાગૃત લોકોમાં ઉભી થવા પામી છે. આગામી ૩ મેંના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પણ પૂર્ણ થાય છે. ગુજરાત કોરોના કેસ અને મૃત્યુમાં બીજા નંબરે છે ત્યારે આટલી ઉતાવળ કરવાનું સરકારનું કયું કારણ હતું તે બાબતના પ્રશ્ન સતત સોશીયલ મીડિયામાં પૂછવામાં આવી રહ્યા છે.
લોકડાઉન દરમિયાંન જીવન જરૂરી ચીજ વસ્તુઓ દવાઓ વગેરેમાં શરૂઆતથી જ છૂટ આપવામાં આવી હતી. સમગ્ર રાજ્ય અનેક લોકો લોકડાઉનના નિયમોનું સખ્તાઈથી પાલન કરી રહ્યા હતા અને તેઓ ઘરની બહાર સુદ્ધાં નીકળ્યા નથી તેવા બાળકો યુવાનો અને વડીલો સહિત તમામ ઉપર સરકારના ઉતાવલિયા અને અધકચરા નિર્ણયથી જોખમ ઉભું થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવે સરકારે હથિયાર હેઠા મૂકી “હર્ડ ઇમ્યુનિટી ” નો રસ્તો પકડ્યો હોય તેવું લાગી રહ્યું છે.