જયપુર, ઇન્દોર, મુંબઈમાં હાલત ખરાબઃ અમદાવાદમાં ૧૨૪૮ કેસ, ૩૮ મોત છતાં કેન્દ્ર સરકાર હાલત ગંભીર નથી માનતી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી 

દેશના મોટા ભાગના કોરોનામુક્ત વિસ્તારોમાં સોમવારથી લૉકડાઉનમાં ઢીલ શરૂ થઇ ગઇ. જોકે, દિલ્હી, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને બિહારને ૩ મે સુધી કોઇ છૂટ ન આપવાની જાહેરાત કરાઇ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે મુંબઇ, પૂણે, ઇન્દોર, જયપુર અને કોલકાતામાં તથા પશ્ચિમ બંગાળનાં અન્ય કેટલાંક શહેરોમાં સ્થિતિ વધુ ગંભીર છે. જો કે અમદાવાદમાં ૧૨૪૮ કેસ, ૩૮ મોત છતાં કેન્દ્ર સરકાર અમદાવાદની હાલતને ગંભીર માનતી નથી. કેન્દ્રએ આંતર-મંત્રાલય ટીમ રચીને આ રાજ્યોમાં મોકલવાનું નક્કી કર્યું છે. આ ટીમો જે-તે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સ્થળ પર જ સમીક્ષા કરીને રાજ્યના અધિકારીઓને નિર્દેશ આપશે. તેમ જ કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલશે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં બે-બે જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ૧-૧ ટીમ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.