તાઉ-તે વાવાઝોડાની સંભાવના ને પગલે બનાસકાંઠા જિલ્લાના તમામ બસ રુટો સ્થગિત કરી દેવાઈ
બનાસકાંઠા જિલ્લામાં તાઉ-તે વાવાઝોડા સંભવિત અસરને લઈ જિલ્લાના 14 તાલુકોમાં 176 જેટલા બસોના શિડયુલ છે. તમામ શિડ્યુલમાં 650 જેવા રૂટ પર બસો ચાલુ હતી. જે તમામ રૂટો પર આજે બસો સ્થગિત કરવામાં આવી છે. જે જગ્યાએ બસો હોય તે જ નજીકની બસ મથક પર મૂકી દેવા માટે તમામ બસ ચાલકોને સૂચના આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં સંભવિત તાઉ-તે વાવાઝોડા ની અસરના પગલે અચાનક બસ સેવા બંધ થઈ જતા અનેક મુસાફરો અટવાયા હતા. વિભાગીય નિયામક જે.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે હેડ ઓફીસથી મળેલી સૂચના અન્વયે જે બસો નું સંચાલન ચાલુ હતા. તે તમામ સંચાલન હાલ પૂરતું સ્થગિત કરવા માટે ની સૂચના આપેલી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા માં 176 શિડયુલ અને 650 ટ્રીપોનું સંચાલન કરવામાં આવતું હતું જે હાલ સ્થગિત કરેલી છે. વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી બીજી સૂચના મળે નહીં ત્યાર સુધી બંધ રાખવામાં આવશે.