![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/05/image-1-6.png)
બિહારમાં ચાલી રહેલા લોકડાઉનને આગામી 10 દિવસ માટે વધારવામાં આવ્યું : CM નીતીશે
બિહારમાં ચાલી રહેલા લોકડાઉનને આગામી 10 દિવસ માટે વધારવામાં આવ્યું છે. હવે 16 મેથી 25 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે આજે સાથીદારો, મંત્રીઓ અને અધિકારીઓ સાથે લોકડાઉનની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી છે. તેથી, તેને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ નીતીશે લોકોને કોરોના સામે એક થઈને લડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકડાઉનથી કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે, રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. આપણે બધાં સાથે મળીને કોરોનાને ચોક્કસ હરાવીશું. વિશ્વભરના લોકોની જેમ, આપણે પણ કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. ગયા વર્ષે બિહારમાં કોરોનાથી લોકોને રાહત આપવા માટે અનેક પગલા લેવામાં આવ્યા હતા.
आज सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ बिहार में लागू लॉकडाउन की स्थिति की समीक्षा की गयी। लॉकडाउन का सकारात्मक प्रभाव दिख रहा है। अतः बिहार में अगले 10 दिनों अर्थात 16 से 25 मई, 2021 तक लॉकडाउन को विस्तारित करने का निर्णय लिया गया है।
— Nitish Kumar (@NitishKumar) May 13, 2021