પાલનપુરમાં દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ, ટિફિન દર્દીના ખાટલા સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા પણ કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, પાલનપુર 
પાલનપુર સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા પાલનપુરની તમામ ખાનગી હોસ્પિટલોમાં સવારે ૯-૩૦ પહેલા અને સાંજે ૪-૦૦ વાગ્યાના પહેલા ૮૪૦૧૦૧૦૦૧૦ નંબર પર ફોન કરી દર્દી કઇ હોસ્પિટલમાં દાખલ છે એની વિગત આપતા ટિફિન દર્દીના ખાટલા સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે-સાંજે બન્ને ટાઇમે સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કૂલ ૧૦ કાર્યકર્તાની ટીમ ટિફિન પહોંચાડવા માટે કાર્યરત રહેશે. સાથે સાથે દર્દીને જમવા માટે ડોક્ટરની સુચના મુજબ જમવાનું પણ અલગથી તેમને મળે એવી વ્યવસ્થા કરાઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.