![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/04/d4f254ea-c3dc-44da-b697-d89393bb18be.jpg)
ખેડૂત નેતા રાકેશ ટીકૈતે અંબાજીથી કિસાન સંવાદ યાત્રાની શરૂઆત કરી
અંબાજી
દિલ્હીમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા નેતા એવા કિસાનો માટે આંદોલન કરી રહેલા કિસાન નેતા રાકેશ ટીકૈત આજે યાત્રાધામ અંબાજી માના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને કિસાન સંવાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
આજે સવારે રાજસ્થાનના આબુરોડ થી રાકેશ ટીકેત અંબાજી આવી પહોંચ્યા હતા ગુજરાતની છાપરી બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. ગુજરાતની બોર્ડર પર ખેડૂતો રાકેશ ટીકેતના સ્વાગત માટે ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા ત્યાંથી રાકેશ ટીકેત અંબાજી આવી પહોંચ્યા હતા અને શંકરસિંહ વાઘેલા સાથે મા અંબાના મંદિરમાં દર્શન કર્યા હતા ત્યારબાદ રોડ સો સ્વરૂપે શક્તિદ્વારથી ડી.કે. સર્કલ સુધી રેલી કાઢી હતી રાકેશ ટીકેતે ખેડૂતોના સંબોધનમાં જણાવ્યું કે આ ખેડૂતો માટેનું આંદોલન છે આ કોઈ પક્ષ ધર્મ જાતિ માટે નથી. આ આંદોલન થકી ગુજરાતના ખેડૂતોને જગાડવામાં આવશે. ખેડૂતોને ફસલની પૂરી કિંમત મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે અહીંથી ગુજરાત આંદોલન શરૂ થઈ રહ્યું છે જેમાં શંકરસિંહ બાપુ પણ સાથે છે અને બીજા લોકો પણ સાથે જાેડાશે જાે ગુજરાત માં આંદોલનને કોઈપણ છેડખાની કરશે તો અમે પૂરી તૈયારી સાથે આવ્યા છે ૨૦ મિનિટમાં પૂર્ણ ભારત બંધ કરાવી દઈશું એવી ચિમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ પણ ખેડૂતોનું અભિવાદન કર્યું હતું અને રાકેશ ટીકેતનો ધન્યવાદ કર્યો હતો અંબાજીથી ખેડૂત સંબોધન કર્યા બાદ રાકેશ ટીકેત પાલનપુર જવા નીકળ્યા હતા.
આ પ્રવાસ દરમિયાન રાકેશ ટીકૈત દ્વારા કોઈપણ જાતના િં-ॅષ્ઠિ નું સર્ટીફીકેટ બતાવ્યું ન હતું છતા છાપરી ખાતે તેમનું પણ ગુજરાતના કેટલાક ખેડૂતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને હળ અર્પણ પણ કરાવ્યો હતો.જાે કે ગુજરાતની સરહદ માં તેમની યાત્રા દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ૫૦૦ ઉપરાંતના ખેડૂતોને સરહદ છાપરી બોર્ડરે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જાેકે પોલીસ સાથે ભારે રજૂઆત થયા બાદ તમામ ખેડૂતો ધક્કામુક્કી કરી ગુજરાતમાં પ્રવેશ કરી ગયા હતા અને તે પણ સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો એટલું જ નહીં આબુરોડથી સાથે જાેડાયેલા ૨૦ ઉપરાંત ટ્રેક્ટરોને ગુજરાતની સરહદ છાપરી અટકાવી દેવામાં આવ્યા હતા