દેશમાં કોરોના સતત છઠ્ઠા દિવસે 50,000થી વધુ દર્દીઓ મળ્યા, આજે સાડાપાંચ લાખને પાર થઈ શકે છે એક્ટિવ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં 56,119 નવા કોરોના ચેપ લાગ્યા હતા. 36,983 સાજા થયા અને 266 મૃત્યુ પામ્યા. આ પ્રકારે સક્રિય કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 18,883નો વધારો થયો છે. અત્યારસુધીમાં દેશમાં લગભગ 1.21 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, 5.37 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

દેશમાં સતત છ દિવસથી 50,000થી વધુ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે, તેમાંથી ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે આ આંકડો 60,000ને પાર થઈ ગયો.

કોરોનાં અપડેટ્સ

દિલ્હી સરકારે કહ્યું હતું કે હાલમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે નહીં. પંજાબ, પુડુચેરી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન સહિત ઘણાં વધુ રાજ્યોએ પણ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

પંજાબની તમામ શાળાઓ અને કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. પંજાબ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 4 મે અને 20 એપ્રિલથી શરૂ થશે.

ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢની તમામ શાળાઓને 10 એપ્રિલ સુધી ફક્ત ઓનલાઇન વર્ગો લેવાનું કહ્યું છે. તામિલનાડુ સરકારે પણ રાજયની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.