કોરોના : ડીસાની ગાંધીલિંકન ભણશાળી અને પાલનપુરની સમર્પણ ખાનગી હોસ્પીટલ તૈયાર કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

 પાલનપુર : નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને રોકવા માટે સરકારની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
         બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આરોગ્ય વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકારી આઇસોલેશન વોર્ડ ઉપરાંત ખાનગી હોસ્પીટલોમાં પણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. પાલનપુર સીવીલ હોસ્પીટલમાં ૧૨૦ બેડની કોવિદ હોસ્પીટલ આઇસોલેશન વોર્ડ સાથે તૈયાર છે. આ ઉપરાંત ડીસા, થરાદ, વાવ, અંબાજી અને જિલ્લામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ દર્દીઓને સારવાર આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે બનાસકાંઠા જિલ્લામાં બે ખાનગી હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલ- ૮૦ બેડ અને પાલનપુર ખાતે સમર્પણ ખાનગી હોસ્પીટલમાં- ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શ્રી રામચંદ સ્વરાજ હોસ્પીટલ ધાનેરા તથા તિરૂપતિ હોસ્પીટલ પાંથાવાડાને બેડ સહિત તમામ સુવિધા રાખવા જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે.   

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.