સરકારનો જ ખુલાસો, મોટી વાતો વચ્ચે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે ગુજરાતના આટલા માછીમારો

ગુજરાત
ગુજરાત

ગુજરાત સરકારે ગુરૂવારે વિધાનસભામાં જણાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનની જેલમાં રાજ્યનાં 345 માછીમારો બંધ છે, જેમાંથી 248 માછીમારોને છેલ્લા 2 વર્ષમાં પકડવામાં આવ્યા છે, રાજ્યનાં મત્સ્ય વિભાગનાં પ્રધાન જવાહર ચાવડાએ કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેશ પરમારનાં સવાલમાં પોતાનો લેખિત જવાબ આપતા આ માહિતી આપી છે, તેમણે જણાવ્યું કે 31 ડિસેમ્બર 2020 સુધી પાકિસ્તાની જેલોમાં 345 માછીમારો બંધ છે, જેમાંથી 248 છેલ્લા 2 વર્ષમાં પકડવામાં આવ્યા છે. વર્ષ 2019માં 85 અને 2020 માં 163 માછીમારો પકડાયા હતાં.

એક સંબંધિત પ્રશ્નનાં જવાબમાં પ્રધાને કહ્યું કે સરકારે પોરબંદરમાં માછીમારોને પોતાની નૌકાઓમાં જીપીએસ લગાવવા માટે 37.70 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે, અત્રે ઉલ્લેખનિય છે કે અરબ સાગરમાં માછલી પકડતી વખતે આંતરરાષ્ટ્રિય સીમા રેખા પાર કરવા પર પાકિસ્તાની રેન્જર્સ અવારનવાર ગુજરાતનાં માછીમારોને પકડી લે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.