અમને દેશના કોરોના યોદ્ધાઓ પર ગર્વ છે – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે બેંગલુરૂના રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના 23માં વાર્ષિક દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. તેમણે મેઘાવી વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરી. આ અવસરે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા.

જીવને જોખમમા મૂકી કામ કર્યુ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે અમને અમારા ડૉક્ટરો અને ચિકિત્સા સહાયકો પર ગર્વ છે. કોરોના યોદ્ધાઓએ પોતાનુ જીવન જોખમમાં નાખીને કોરોના વાઈરસ સંક્રમણ જેવા અઘરા પડકારોનો સામનો કર્યો. મને એ જાણીને ખુશી થઈ છે કે રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીએ ડૉક્ટર, નર્સ અને વહીવટીતંત્ર સહિત 2 લાખ સ્વાસ્થ્ય વ્યવસાયિકોને પ્રશિક્ષિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષથી કોરોનાનો કહેર દેશ અને દુનિયામાં જારી છે. ભારતમાં કોરોના વાઈરસથી એક કરોડ આઠ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં પણ કોરોનાના 12, 059 કેસ સામે આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.