અસમમાં PM મોદીની લલકાર, કહ્યું- કેટલાંક લોકો આપણી છબી ખરાબ કરવાના પ્રયાસમાં જોડાયા છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક દિવસમાં બે રાજ્યોની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં આજે અસમની મુલાકાતે છે. અહીં સોનિતપુર જિલ્લામાં બે હોસ્પિટલો, બિશ્વનાથ અને ચરાઈદેવમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનો શિલાન્યાસ કર્યો. આ સિવાય અસોમ માલા પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો. અહીં તેઓ અનેક મુદ્દે વિપક્ષ પર ગરજ્યા.

તેમણે કહ્યું કે, કેટલાક દસ્તાવેજો સામે આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે ભારત બહારના કેટલાંક લોકો ભારતની ચા અને તેની સાથે જોડાયેલી રાષ્ટ્રની છબીને ખરાબ કરવાની કોશિશ કરી રહ્યું છે. આપણે તે સૌને જવાબ આપવો જોઈએ જેમણે આપણી ચાની છબીને બર્બાદ કરવાનો નિર્ણય લીધો છે અને દરેક જે આ પ્રકારના ષડ્યંત્રોનું સમર્થન કરે છે.

તેમણે પુછ્યું કે, શું તમે આ પ્રકારના હુમલાનો સ્વિકાર કરશો? તમે આ હુમલામાં સામેલ લોકોનો સ્વિકાર કરશો? શું તમે આ હુમલાખોરોની પ્રશંસા કરનારાઓનો સ્વિકાર કરશો?

તેમણે કહ્યું કે, પૂર્વોત્તરના વિકાસમાં અસમ અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. ઐતિહાસિક બોડો સમજુતિ બાદ બોડો પ્રાદેશિક પરિષદ ચૂંટણીએ ક્ષેત્રમાં વિશ્વાસ અને વિકાસનો એક નવો અધ્યાય લખ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે સૌ હંમેશા સાંભળીએ છીએ કે દેશની પહેલી સવાર પૂર્વોત્તરમાં થાય છે. પરંતુ સત્ય એ પણ છે કે પૂર્વોત્તર અને અસમમાં વિકાસની આ સવાર માટે એક લાંબા સમયની રાહ જોવી પડી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.