દેશમાં અત્યાર સુધીમાં 49 લાખથી વધારે લોકોને મળી વેક્સિન, આજે નોંધાયા 12,408 પોઝિટિવ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના વાઈરસની વેક્સિન આવ્યા છતાં પણ આ મહામારીનો ખતરો જોવા મળી રહ્યો છે. ભારતમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,408 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક દિવસમાં 120ના મોત થયાં છે. એ સાથે જ કુલ મૃતકઆંક 1,54,823 થયો છે અને દેશમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 1,08,02,591 થઈ છે.

આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા હવે 1,51,460 છે અને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 1,04,96,308 છે. દેશમાં વેક્સિનેશન અભિયાન હેઠળ દેશમાં કુલ 49,59,445ને કોરોના વેક્સિન લગાવવામાં આવી ચુકી છે.

દેશમાં ગઈકાલ સુધીમાં કોરોના માટે કુલ 19,99,31,795 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે જેમાંથી 7,15,776 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.