મકતુપુર અન્ડરબ્રિજની માંગણીને લઈને ત્રણ ગામો ચૂંટણીનો બહિષ્કાર કરશે

મહેસાણા
મહેસાણા

રખેવાળ ન્યુઝ ઊંઝા : મહેસાણાથી પાલનપુર સ્ટેટ હાઇવે નંબર ૪૧ પર આવેલ મકતુપુર ગામે અન્ડર બ્રીજ બનાવવાની માંગને લઈ મકતુપુર સરપંચ સહિત ગ્રામજનો એ ધારાસભ્યથી લઈ નાયબ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી પરંતુ અન્ડર બ્રિજની માગણી અંગે યોગ્ય ઉકેલ નહીં આવતા સોમવારે યોજાયેલ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે
ઊંઝા પાસેના મકતુપુર ગામે અન્ડર બ્રિજની માગણી સંદર્ભ કરેલ રજુઆતોનો કોઈ ઉકેલ નહી આવતા ગામની વાલી ભાઈઓની વાડી ખાતે મકતુપુર સરપંચ તેમજ ટૂંડાવ અને અમૂઢ સહિત ગ્રામજનોની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મકતુપુરમાં અતિજરૂરી એવા અન્ડરબ્રિજ ની માગણી નહિ સંતોષતા આગામી આવી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઆના બહિષ્કારની ચીમકી આપી છે આ બેઠકમા ત્રણેય ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.