લાખો ભારતીયો માટે ખુશખબર, UAEમાં વિદેશીઓને પણ મળશે નાગરિકતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

યુએઈમાં કામ કરી રહેલા લાખો ભારતીયો માટે સારા ખબર એ છે કે, યુએઈ સરકારે પોતાની વિઝા પોલિસીમાં ધરખમ ફેરફાર કરીને વિદેશી નાગરિકોને પણ નાગરિકતા આપવાનુ નક્કી કર્યુ છે.

કોરોનાના કારણે સુસ્ત થયેલી ઈકોનોમીને જોતા દુબઈના શાસક અને દેશના પીએમ શેખ મહોમ્મદ બિન અલ મખ્તૂમે જાહેરાત કરી હતી કે, કલાકારો, લેખકો, ડોક્ટરો , એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની સાથે સાથે તેમના પરિવારજનો યુએઈની નાગરિકતા માટે અરજી કરી શકશે.સાથે સાથે તેઓ પોતાના દેશની નાગરિકતા પણ યથાવત રાખી શકશે.

જોકે સરકારે હજી સ્પષ્ટ કર્યુ નથઈ કે, નાગરિકતા મેળવનારા વિદેશીઓને પણ મૂળ નાગરિકો જેટલા અધિકાર મળશે કે કેમ.ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી યુએઈ વિદેશી નાગરિકોને પોતાના દેશની નાગરિકતા આપતુ નહોતુ.તેમના માત્ર વર્ક પરમિટ આપવામાં આવતી હતી.

જોકે હવે યુએઈએ પોતાની નીતિમાં ધરખમ ફેરફારો કરવાના સંકેત આપ્યા છે.જેના કારણે ઘણા ભારતીયો માટે હવે યુએઈની નાગરિકતા મેળવવાની તક સર્જાશે,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.