60 વર્ષથી ગુફામાં રહેતા ‘ફકકડ બાબા’ એ રામમંદિર માટે રૂા.1 કરોડનું દાન કર્યું!

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ફકકડ બાબા તરીકે ઓળખાતા સ્વામી શંકરદાસે રૂા.1 કરોડનો ચેક આપતા સૌ દંગ થઈ ગયા

સાધુ-બાવાઓ માટે આપણા મનમાં એક છાપ હોય છે કે તે ફકકડ ગિરધારી હોય પણ હરિદ્વારમાં ફકકડ બાબા તરીકે ઓળખાતા અને 60 વર્ષથી ગુફામાં રહેતા એક 83 વર્ષના સાધુએ રામ મંદિર માટે રૂા.1 કરોડના ચેક આપતા સૌ કોઈ દંગ રહી ગયા.ઋષિકેશના 83 વર્ષીય સંત છેલ્લા 60 વર્ષથી ગુફામાં રહે છે. તેમણે અયોધ્યામાં રામમંદિર માટે રૂા.1 કરોડના દાનનો ચેક અર્પણ કર્યો હતો, જો કે સ્વામી શંકરદાસે પોતાના 1 કરોડ રૂપિયાના દાન અંગે ફ્રોડ પાડતા જણાવ્યું હતું કે તેમના ગુરુ ટાટ વાલે બાબાની ગુફામાં મળતા શ્રદ્ધાળુઓના દાનમાંથી આ રકમ ભેગી કરી છે.

બુધવારે જયારે રૂા.1 કરોડનો ચેક બાબાએ આપ્યો તો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના કર્મચારીઓ દંગ થઈ ગયા હતા. તેમણે એકાઉન્ટ ચેક કરતા તેમનું ખાતુ અને ચેક સાચા હતા. આ પુષ્ટિ થયા બાદ આરએસએસના પદાધિકારીને બોલાવવામાં આવ્યા અને ચેક અપાયો હતો. સ્થાનિક લોકો સ્વામી શંકર દાસને ફકકડ બાબા કહે છે અને તેમની દાન-દક્ષિણાથી તેમનું જીવન ચાલે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.