તોડફોડ અને હિંસામાં 86 પોલીસકર્મચારી ઇજાગ્રસ્ત, દિલ્હીમાં વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવાનો આદેશ, હરિયાણામાં હાઇ અલર્ટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ નક્કી સમય પહેલાં જ શરૂ કરી હતી. પોલીસે પરેડ માટે મંગળવાર બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો સમય અને રૂટ નક્કી કર્યો હતો. દિલ્હીમાં પ્રવેશ માટે સિંધુ, ટીકરી અને ગાજીપુર એન્ટ્રી પોઇન્ટ બનાવવામાં આવ્યા હતાં. પરંતુ ખેડૂતો સવારે 8 વાગ્ચાથી જ એન્ટ્રી પોઇન્ટ્સ પર બેરિકેડ્સ તોડી દિલ્હીમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયા અને ટ્રેક્ટર પરેડ શરૂ કરી દીધી. સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થયા હતાં.

દિલ્હીમાં મંગળવારે થયેલી હિંસા બાદ ગૃહમંત્રી અમિત શાહે હાઇ લેવલ મીટિંગ બોલાવી હતી, જેમાં તેમણે રાજધાની દિલ્હીમાં અર્ધસૈનિક દળોની વધુ કંપનીઓ તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો તેમજ દિલ્હી પોલીસને તોફોનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે સાત FIR દાખલ કરી છે. બીજી તરફ દિલ્હીમાં હિંસાને પગલે હરિયાણામાં કેબિનેટની ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. મુખ્યમંત્રી ખટ્ટરે પોલીસેને હાઇએલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો તથા ખેડૂતોને ઘરે પરત ફરવા અપીલ કરી હતી.

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ નક્કી રૂટથી બહાર નિકળી લાલ કિલ્લા સુધી પહોંચી ગઇ હતી. આ ખેડૂતો સિંધુ બોર્ડરથી આવ્યા હતાં. હિંસક ભીડે તહેનાત પોલીસકર્મીઓ પર ડંડાથી હુમલો કર્યો. જેથી જીવ બચાવવા માટે સુરક્ષાકર્મીઓ ખીણમાં કૂદી પડ્યા હતાં. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં 41 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે.

દર વર્ષે 15 ઓગસ્ટે જે લાલકિલ્લા પર આઝાદીનો પર્વ ઊજવાય છે, ત્યાં આ વર્ષે 26 જાન્યુઆરીએ ખેડૂતોએ કબજો કરી લીધો છે. દિલ્હીમાં દાખલ થયેલું ખેડૂતોનું મોટું ગ્રુપ મંગળવારે બપોરે અંદાજે 2 વાગે લાલ કિલ્લા પર પહોંચી ગયું હતું. શોર-બકોર અને હોબાળાની વચ્ચે એક યુવક દોડતો આગળ વધ્યો અને તે પોલ પર ચડીને ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ અને ખેડૂત સંગઠનનો ઝંડો બાંધ્યો, જ્યાં વડાપ્રધાન દર વર્ષે સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજ લહેરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.