મેઘાલયના તાશ્ખાઈ વિસ્તારમાં એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અનેક કામદારોના મોત થયાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ખાણની અંદર રહેલા કામદારોને બચવાનો મોકો પણ મળ્યો નહીં. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી હતી.
એવી આશંકા છે કે બધા મૃતક મજૂરો આસામના રહેવાસી હતા, જોકે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી

