પાલનપુર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા અપાતી સહાયમાં વિસ્તારના જે ખેડૂતનું અવસાન અકસ્માતમાં થયેલ હોય જેની સહાય તેમજ ખેડુતોએ નવિન ટપક પદ્ધતિથી અપનાવેલ ફુંવારા સહાય આપવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલનપુર નવા માર્કેટયાડમાં આવેલી બજાર સમિતિ પાલનપુરના સહકાર અંતર્ગત અકસ્માત સહાય યોજના તેમજ નવીન ફુવારા અપનાવેલ ખેડૂત સહાય યોજનાનો કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટયાર્ડના ચેરમેન શામળ ભાઈ ધરિયા, વા.ચેરમેન યશવંતભાઈ પટેલ, ડિરેક્ટરઓ ભગુભાઈ પટેલ, ફતાભાઈ ધરિયા, લાલજીભાઈ કરેણ, કાનજીભાઈ પટેલ, ડી કે રાણા, દિનેશભાઈ કુણિયા, બાબુભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, મહેશ ભાઈ લોહ, વિજયભાઈ પટેલ, મિતભાઈ મોદી ના વરદ હસ્તે ખેડૂત લાભાર્થીઓને ચેકો વિતરણ કરવામાં આવ્યા હતા.
બજાર સમિતિના સેક્રેટરી હેમુભાઈ લોહ ના માર્ગદર્શન હેઠળ આ.સેક્રેટરી અરવિંદભાઈ ખસોર, આંકડાશાસ્ત્રી ડોહજી ભાઈ પટેલ, દ્વારા સુંદર રીતે સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.અંતમાં કાર્યક્રમમાં પધારેલા સૌના માટે ભોજનની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવણ કરવામાં આવી હતી.

