(જી.એન.એસ),તા.૦૧
સુરેન્દ્રનગર
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાને ત્રણ વર્ષ પૂર્ણ થતાં પાટડી નગર પાલિકા દ્વારા તૃતીય રામોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ રામોત્સવમાં ઉત્તરપ્રદેશના રાધે ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામ, સીતા, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી અને ભૈરવનાથની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ધાર્મિક ભજન-કીર્તનો દ્વારા હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી દેવાઈ હતી.
પાટડી નગર અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, ઉપપ્રમુખ હિતેશભાઈ રાવલ, કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણી, પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, મુકેશભાઈ દેસાઈ, રશ્મિભાઈ રાવલ, સુરેખાબેન પટેલ, ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા અને નગરપાલિકાના સદસ્યો સહિત અનેક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.

