થરાદના કરણપુરામાં તસ્કરોએ વેપારીની કરીયાણાની દુકાન તોડી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદના કરણપુરા ગામમાં આવેલ ગામના એક વેપારીની કરીયાણાની દુકાનમાંથી અજાણ્યા તસ્કરોએ તાળાં તોડીને રોકડ અને કરીયાણા તથા અન્ય પરચુરણ સરસામાન મળીને કુલ રૂપીયા ૨૦૯૭૨ની મત્તાની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી હતી. થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ તાલુકાના કરણપુરા ગામમાં દેવશીભાઇ ત્રીકમાભાઈ પટેલની કરીયાણાની દુકાન આવેલી છે. જે તેઓ ગત સોમવારના સાંજના સુમારે બંધ કરીને પોતાના ખેતરે ગયા હતા. બીજા દિવસે સવારમાં નિયત સમય પ્રમાણે આવતા દુકાનનું શટર તુટેલું અને કરીયાણાનો સરસામાન વેરવિખેર હાલતમાં જાેવા મળ્યો હતો. આથી ચોરીની આશંકાએ પરિવારના સભ્યોને બોલાવી તપાસ કરતાં દુકાનમાંથી કરિયાણા ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ અને રોકડ ૩૦૦૦ મળીને કુલ રૂપીયા ૨૦૯૭૨ની મત્તાની ચોરી થવા પામી હતી. આ અંગે વધુ તપાસ કરતાં દુકાન આગળ રિક્ષાનાં પૈડાંનાં નિશાન પડેલાં હોઇ તસ્કરો રિક્ષામાં સામાન ભરીને લઇ ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. દુકાન માલિકે આ અંગે આજુબાજુના ગામોમાં સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પરંતુ કોઇ પત્તો નહી લાગતાં થરાદ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.