ઇટાલીમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ; 4 ભારતીયોના મોત

ઇટાલીમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ; 4 ભારતીયોના મોત

દક્ષિણ ઇટાલીના માટેરામાં એક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. રોમમાં ભારતીય દૂતાવાસે સોમવારે આ ઘટનાની માહિતી આપી હતી. માહિતી આપતા, ઇટાલિયન સમાચાર એજન્સી ANSA એ અહેવાલ આપ્યો છે કે એગ્રી ખીણમાં માટેરાના સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કાર એક ટ્રક સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો.

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, મૃતકોની ઓળખ મનોજ કુમાર (૩૪), સુરજીત સિંહ (૩૩), હરવિંદર સિંહ (૩૧) અને જસકરણ સિંહ (૨૦) તરીકે થઈ છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “દક્ષિણ ઇટાલીના માટેરામાં થયેલા માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર ભારતીય દૂતાવાસે ઊંડા શોક વ્યક્ત કર્યો છે.

ભારતીય દૂતાવાસે કહ્યું, “અમે વિગતો મેળવવા માટે સ્થાનિક ઇટાલિયન અધિકારીઓના સંપર્કમાં છીએ. દૂતાવાસ સંબંધિત પરિવારોને તમામ શક્ય કોન્સ્યુલર સહાય પૂરી પાડશે.” ANSA એ અહેવાલ આપ્યો છે કે ઘાયલોમાંથી પાંચને પોલિકોરો (માટેરા) ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે છઠ્ઠા, જે ગંભીર રીતે ઘાયલ હતો, તેને પોટેન્ઝાની સાન કાર્લો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *