વંદે ભારત ટ્રેનની સૌથી મોટી વિશેષતા તેની ઝડપ જે લાંબા અંતરને પણ અન્ય ટ્રેનોની સરખામણીમાં ઓછા સમયમાં પૂર્ણ કરે છે આ ટ્રેનમાં બે મુખ્ય શ્રેણીઓ હોય છે એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર. ટ્રેનનું ભાડું રૂટ અને અંતર મુજબ અલગ-અલગ હોય છે
ભારતીય રેલવે દ્વારા શરૂ કરાયેલી વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેના આધુનિકીકરણની એક નવી પહેલ છે. આ ટ્રેન માત્ર અત્યંત ઝડપી જ નથી, પરંતુ મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ પણ પૂરો પાડે છે. ભારતીય રેલવે સતત આ ટ્રેનના નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે, અને હાલમાં દેશના મુખ્ય શહેરોને જોડતી 150 વંદે ભારત ટ્રેનો કાર્યરત છે.
વંદે ભારત ટ્રેનની વિશેષતાઓ અને ભાડું
વંદે ભારત ટ્રેનની સૌથી મોટી વિશેષતા તેની ઝડપ છે, જે લાંબા અંતરને પણ અન્ય ટ્રેનોની સરખામણીમાં ઓછા સમયમાં પૂર્ણ કરે છે. આ ટ્રેનમાં બે મુખ્ય શ્રેણીઓ હોય છે: એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર. ટ્રેનનું ભાડું રૂટ અને અંતર મુજબ અલગ-અલગ હોય છે, જેમાં ભોજન અને પીણાનો ખર્ચ પણ સમાવિષ્ટ હોય છે.
મુંબઈથી ગાંધીનગર : આ રૂટ પર એસી ચેર કારનું ભાડું ₹1385 છે, જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસ માટે ₹2505 ચૂકવવા પડે છે.
નવી દિલ્હીથી વારાણસી : આ રૂટ માટે એસી ચેર કારનું ભાડું લગભગ ₹1760 છે, જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું ₹3310 છે.
ભાડામાં સમય-સમય પર બદલાવ થઈ શકે છે, તેથી રેલવેની સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન
ભારતને તેની પ્રથમ વંદે ભારત ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના રોજ મળી હતી, જે વારાણસીથી દિલ્હી વચ્ચે ચાલે છે. આ સેમી-હાઇસ્પીડ ટ્રેન લગભગ 8 કલાકમાં 771 કિલોમીટરનું અંતર કાપે છે અને તેના માર્ગમાં ફક્ત બે જ સ્ટોપેજ છે: પ્રયાગરાજ અને કાનપુર. આ ટ્રેનનો મહત્તમ વેગ 180 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે તેની સરેરાશ ગતિ 96 કિલોમીટર પ્રતિ કલાક રહે છે.
ભારતીય રેલવે વંદે ભારત ટ્રેનમાં વધુ મુસાફરોને આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ ચલાવવાની પણ યોજના ધરાવે છે. આ ઉપરાંત, ‘અમૃત વંદે ભારત’ અને ‘વંદે ભારત મેટ્રો’ જેવી નવી સેવાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે, જે દેશના વિવિધ ભાગોને એકબીજા સાથે જોડશે.

