પાટણ વનવિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ પર પડી ગયેલા વૃક્ષોને દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા

પાટણ વનવિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ પર પડી ગયેલા વૃક્ષોને દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા

પાટણ જિલ્લામાં ભારે વરસાદના લીધે હારીજ, ટોટાણા, કાકોશી, વાઘરો રાધનપુર, લોદ્રા, મોરવાડા જેવા માગૅ પર પડી ગયેલ વૃક્ષોને દૂર કરીને માગૅ ખુલ્લા કરી વ્યવહાર શરૂ કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લામાં વરસાદ અને પવનને લઈને રસ્તા પરના વૃક્ષો પડી જવાથી રસ્તો બંધ થઇ ગયો હતો. જેથી માર્ગ અને મકાન વિભાગ તેમજ પાટણ વન વિભાગના સ્ટાફ દ્રારા વૃક્ષો હટાવવાની ત્વરિત કામગીરી કરીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. વરસાદના લીધે જાહેરમાર્ગો પર પડેલા  વૃક્ષો હટાવવાની ત્વરિત કામગીરી માર્ગ મકાન અને પાટણ વનવિભાગ દ્વારા કરવામાં આવતાં વાહન ચાલકો એ રાહત અનુભવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *