દિલ્હીના સરાય કાલે ખાન વિસ્તારમાં યમુના નદીના કિનારે એક અનોખો વાંસ થીમ પાર્ક આવેલો છે, જેને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તેનું નામ બાંસેરા રાખવામાં આવ્યું છે. દિલ્હી-NCRમાં આ પહેલો આવો પાર્ક છે, જ્યાં હજારો વાંસના છોડ વાવવામાં આવ્યા છે. ચારે બાજુ વાંસના માળખા પણ બનાવવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતાં લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ જણાવ્યું હતું કે, 2030 સુધીમાં દેશમાં 2.6 કરોડ હેક્ટર ઉજ્જડ જમીનને પુનઃસ્થાપિત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશાળ વિઝનથી પ્રેરિત થઈને, તેમણે 28 મે, 2022 ના રોજ લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી દિલ્હીમાં એક નાનું પગલું ભર્યું.
દિલ્હીમાં સરાય કાલે ખાન નજીક યમુના કિનારે પડેલી ઉજ્જડ જમીન, જે કચરાના ઢગલા તરીકે ઓળખાતી હતી. ત્યાં મોટી સંખ્યામાં વાંસના છોડ વાવીને બાંસેરાની કલ્પના કરવામાં આવી હતી. આ પછી, દિલ્હી વિકાસ સત્તામંડળ (DDA), જે દિલ્હીમાં યમુનાના પૂરના મેદાનોનું રક્ષક છે. DDA ના પ્રયાસોને કારણે, આ ઉજ્જડ જમીન 18 મહિનામાં પરિવર્તિત અને પુનર્જીવિત થઈ ગઈ. જે પર્યાવરણીય પરિવર્તનનું એક મોટું ઉદાહરણ છે.

