ડીસામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ: ગણેશ વિસર્જન, જલ જીલણી એકાદશી અને રામાપીરના વરઘોડા લઈ ને લઈ ચર્ચા

ડીસામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ: ગણેશ વિસર્જન, જલ જીલણી એકાદશી અને રામાપીરના વરઘોડા લઈ ને લઈ ચર્ચા

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગણેશ વિસર્જન, જલ જીલણી એકાદશી, અને રામાપીરના વરઘોડા જેવા તહેવારો તેમજ મુસ્લિમ સમાજમાં આવી રહેલા ઈદ મિલાદના પર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી શકાય તે સુનિશ્ચિત કરવાનો હતો.ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં તહેવારો દરમિયાન ડીસામાં ભાઈચારો અને સદભાવ જળવાઈ રહે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પોલીસ અધિકારીઓએ તહેવારોની ઉજવણી માટેની માર્ગદર્શિકા અને નિયમો વિશે જાણકારી આપી હતી અને સૌને તેનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં દરેક તહેવારની ઉજવણી દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, અને જાહેર શાંતિને લગતા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી, જેથી તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. આ પ્રયાસોથી સમાજમાં એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *