યુપીના છ ખેડૂત નેતાઓને રૂા. 50-50 લાખની નોટીસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આંદોલનમાં શાંતિ ભંગની શક્યતા બદલ જામીન લેવા આદેશ

ઉતરપ્રદેશમાં ખેડૂત આંદોલનમાં ભાગ લઇ રહેલા છ ખેડૂતોને રૂા. 50-50 લાખની નોટીસ ફટકારવામાં આવી છે. જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ નોટીસ આપવામાં આવી છે અને તેઓને રૂા. 50 લાખની જાતજામીન આપવા જણાવાયું છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા આપવામાં આવેલી નોટીસોમાં જણાવાયું છે કે ખેડૂત આંદોલનથી શાંતિ ભંગ થવાનો ખતરો છે અને તેથી તેમને રૂા. 50-50 લાખના જાત જામીન ઉપર મુક્ત કરવામાં આવશે.

ખેડૂત નેતાઓએ રૂા. 50 લાખના બોન્ડ અથવા જામીન રજૂ કરવાના રહેશે. આઠ પાનાની નોટીસમાં જો જાતજામીનગીરી રજૂ નહીં કરે તો ધરપકડ શક્યતા દર્શાવાઈ છે. ગઇકાલે દિલ્હીમાં અમીત શાહની હાજરીમાં મળેલી બેઠક બાદ આ પ્રકારની નોટીસો ઇસ્યુ થઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.