ઉત્તર અને દક્ષિણ ભારતના પ્રવાસે જવા માટે શરૂ થશે વિશેષ ટ્રેન
રાજકોટમાંથી અલગ અલગ 4 ટુરિજમ ટ્રેન આગામી દિવસોમાં શરૂ થશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 4 ટ્રેન પ્રવાસીઓ માટે ઉપડશે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ટુરિસ્ટો ફરવા માટે જઇ શકશે. દક્ષિણ દર્શન માટે પિલગ્રીમ વિશેષ ટ્રેન, નનામી ગંગે પીલગ્રીમ વિશેષ ટ્રેન તેમજ દક્ષિણ અને ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે ભારત દર્શન ટ્રેન રાજકોટથી ઉપડશે. સામાન્ય નાગરિકો પણ યાત્રા કરી શકે તે માટે રેલવે વિશેષ ટ્રેન ઉપાડશે.