જાબડીયા ગામના શ્રી રામાપીર મંદિરમાં કિસાન મોરચા દ્વારા ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણ લક્ષી પહેલમાં અને ભીલડી મંડળના પૂર્વ પ્રમુખ પાનસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જાબડીયા ગામના લોકપ્રિય સરપંચ લાલસિંહ સોલંકી, ગામના અગ્રણીઓ અને યુવાન મિત્રો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ કિસાન મોરચા દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવતી પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ગ્રામીણ સ્તરે પર્યાવરણ જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશે.

