અભિનેત્રી શિખા મલ્હોત્રાને આવ્યો પેરાલીસીસનો હુમલો, હોસ્પિટલમાં દાખલ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
૨૦૨૦નું વર્ષ બોલિવૂડ માટે ખુબ જ ખરાબ માનવામાં આવે છે. બોલિવૂડમાં ચાલુ વર્ષમાં ખબલબી મચી જવા પામી છે. એક બાજુ કોરોનાના પગલે ઉદ્યોગ બંધ છે તો બીજી તરફ આ વર્ષે અનેક દિગ્ગજ સ્ટાર્સને ખોયા છે. ત્યારે આજે ફરી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી શિખા મલ્હોત્રાને સ્ટ્રોક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના શરીરનો જમણો ભાગ આ સ્ટ્રોખથી ખુબજ પ્રભાવિત થયો છે.
જેના કારણે તેને જુહૂની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. આ કોવિડ-૧૯થી અભિનેત્રીના બહાર આવ્યાના માત્ર એક મહિના બાદ થયું છે. શિખા મલ્હોત્રાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા શિખાના પીઆર મેનેજર અશ્વિની શુક્લાએ જણાવ્યું કે, તેને ગંભીર સ્ટ્રોક આવ્યો છે. તેના શરીરનો જમણો ભાગ ખુબજ પ્રભાવિત થયો છે. તેને વિલે પાર્લેની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે.
તેના મેનેજરે વધુમાં જણાવ્યું કે, શિખા મલ્હોત્રાને ૧૦ ડિસેમ્બરની રાતે પેરાલીસીસ સ્ટ્રોક આવ્યો, ત્યારબાદ તેને ટ્રિટમેન્ટ માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. તે વાત કરી શકતી ન હતી. શિખા પાસે નર્સિંગની ડિગ્રી હોવાના કારણે તેને લોકડાઉન દરમિયાન કોવિડ-૧૯ના દર્દીઓને તેની ઇચ્છાથી સેવા કરી અને તે દરમિયાન ઓક્ટોબર મહિનામાં તે પોતે પણ વાયરસનો શિકાર થઈ હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.