હાઈડ્રોજન ટ્રેનથી પ્રદૂષણ પણ ઓછું થશે ટ્રેનના એન્જિનમાંથી માત્ર પાણીની વરાળ જ નીકળશે જેનાથી હાનિકારક વાયુઓનું ઉત્સર્જન નહીં થાય
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનનું ચેન્નાઇ ખાતે આવેલ ઈન્ટ્રીગલ કોચ ફેક્ટરી (ICF) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત 1200 HP હાઈડ્રોજન ટ્રેન વિકસાવી રહ્યું છે.હાઈડ્રોજન ટ્રેનથી પ્રદૂષણ પણ ઓછું થશે ટ્રેનના એન્જિનમાંથી માત્ર પાણીની વરાળ જ નીકળશે જેનાથી કાર્બન ડાયોક્સાઇડ,નાઇટ્રોજન ઓક્સાઇડ કે અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન નહીં થાય.

