અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ નો ફ્લોપ શો

અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ નો ફ્લોપ શો





(જી.એન.એસ) તા. 23

મોડાસા,

આમ આદમી પાર્ટી (AAP) નાં સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતનાં પ્રવાસે છે. અરવલ્લીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, પણ આમ આદમી પાર્ટી માટે આંચકાજનક વાત હતી કે આ કાર્યક્રમમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી રહી હતી.

અરવિંદ કેજરીવાલે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ને સંબોધતાં કહ્યું હતું કે, ’30 વર્ષ શાસન કર્યા પછી ગુજરાતમાં ભાજપનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે. ગુજરાતમાં દૂધના ભાવના યોગ્ય ભાવ માંગી રહેલા ખેડૂતો-પશુપાલકોના પ્રદર્શન પર ભાજપ સરકારે લાઠીચાર્જ કરાવ્યો જેમાં એક ખેડૂતનું મોત થયું. 14 જુલાઈએ અશોક ચૌધરીનું દુઃખદ અવસાન થયું છતાં આ ભ્રષ્ટ સરકારે તમને તમારા હક ન આપ્યા. આ ભ્રષ્ટાચારીઓએ અશોકભાઈના પરિવારને વળતર તરીકે એક પણ પૈસો ન આપ્યો. જ્યારે આ લોકોને ખબર પડી કે અમે આવીએ છીએ એટલે બોનસ આપવાનું ખોટું એલાન કર્યું. પશુપાલકોને પોતાનો હક મળ્યો નથી અને એ હક માંગવા તેઓ ગયા હતા, પણ તેમ છતાં તેમને તેમનો હક મળ્યો નહીં.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મહેલો બનાવવાનો આરોપ મૂક્યો. તેમણે જણાવ્યું કે, ‘ખેડૂત અને પશુપાલકોના મહેનતના અને હકના પૈસા ચોરી કરીને સી.આર. પાટીલે ગુજરાતના ખૂણે ખૂણે કમલમ બનાવવા જમીનો ખરીદી છે. તેમણે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, આપણા દેશને આઝાદ થયે 75 વર્ષ થઈ ગયા પછી પણ જો આપણે આજે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ કરવી પડે છે એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે.’






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *