પાલનપુરમાં ઓડિશાની ઘટનાનો એબીવીપી દ્વારા વિરોધ; કાર્યકરોની પોલીસે કરી અટકાયત

પાલનપુરમાં ઓડિશાની ઘટનાનો એબીવીપી દ્વારા વિરોધ; કાર્યકરોની પોલીસે કરી અટકાયત

ઓડિશામાં એન.એસ.યુ.આઈ. ના નેતાએ કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે એબીવીપી એ વિરોધ પ્રદર્શન યોજી ચક્કાજામ કરતા પોલીસે એબીવીપી ના કાર્યકરોની અટકાયત કરી હતી. ઓડિશામાં એન.એસ.યુ.આઈના પ્રદેશ કક્ષાના નેતાએ 19 વર્ષની કોલેજીયન યુવતીને ભોજનમાં ડ્રગ્સ ભેળવી હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જી.ડી.મોદી કોલેજ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો. દરમિયાન, દોડી આવેલી પોલીસે એબીબીપીના કાર્યકરોની અટકાયત કરી હતી. એબીબીપી, પાલનપુર નગરના પ્રમુખ યુવરાજ જાનીએ એન. એસ.યુ.આઈ ને ન્યુસન્સ ફેલાવતું સંગઠન ગણાવી આરોપી ને ઝડપી લઈ ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *