થરાદના ત્રણ દીકરીઓના પિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાલી વારસોને સોપ્યો હતો. જોકે આ પગલુ કેમ ભર્યુ છે તે સહિતના સવાલો ચર્ચામાં યથાવત રહ્યા છે. થરાદમાં ચુડમેર પુલથી આગળ ટાંકાની સામે નર્મદા કેનાલમાં મૃતદેહ હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતુ કે, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવકના જમણા હાથ પર સ્ટાર ટેટુ જોવા મળ્યું હતુ. જેના આધારે તપાસ કરતાં મૃતક થરાદના પ્રવિણભાઇ ભીખાભાઈ રાવળ (ઉ.વ.40) અને ત્રણ દીકરીઓના પિતા હોવાનું સામે આવ્યું હતુ. જોકે મોતનું કારણ પણ હજી અકબંધ રહ્યુ છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
- July 12, 2025
0
457
Less than a minute
You can share this post!
editor

