જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલા (સર્જન ફાઉન્ડેશન)ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુઝુકી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, બેચરાજી – હાંસલપુરનાં નોકરીદાતા હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં કુલ ૧૮૬ ઉમેદવારો ભાગ લીધો હતો. જેમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ ૭૭ ઉમેદવારોને સ્થળ ઉપર નોકરીની ઑફર આપવામાં આવી હતી. આ પ્રસંગે રોજગાર અધિકારીએ આઈ.ટી.આઈમાં આરોગ્ય સંબંધી કોર્ષના ટ્રેડ શરુ કરવા માટે ભલામણ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર તથા માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલાના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
- July 12, 2025
0
477
Less than a minute
You can share this post!
editor

