બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલનું 42 વર્ષની વયે અવસાન થયું છે. શેફાલીને ગઈકાલે મોડી રાત્રે છાતીમાં દુખાવો થયો હતો અને તેના પતિ પરાગ ત્યાગી તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટરોએ શેફાલીને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે શેફાલીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. જો કે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જો કે, શેફાલીના પરિવારે ખુલાસો કર્યો છે કે તે હૃદય રોગ સહિત અન્ય રોગોથી પીડાતી હતી.
એક ગીતે તેમને રાતોરાત સ્ટાર બનાવી; શેફાલી વર્ષ 2002 માં ‘કાંટા લગા’ ગીતથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. શેફાલીના આ ગીતે તેને ઘણી લોકપ્રિયતા આપી હતી. આ પછી, શેફાલીએ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. શેફાલીએ રિયાલિટી શોમાં પણ પોતાની પ્રતિભા બતાવી અને બિગ બોસ-13 માં પોતાની ઓળખ બનાવી. આ સાથે, શેફાલી તેના પતિ પરાગ ત્યાગી સાથે ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ ખૂબ મસ્તી કરતી જોવા મળી છે. પરંતુ ગઈકાલે રાત્રે શેફાલીનું 42 વર્ષની વયે અવસાન થયું. શેફાલીના અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને તેના અકાળ અવસાનથી આઘાત પામી છે.

